WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

ધાર્મિક

પતિ-પત્ની વચ્ચે વધશે પ્રેમ અને નહીં થાય વિવાદ, લગ્નજીવનને મધુર બનાવવા કરો આ કામ

આજના સમયમાં અનેક કારણોસર પતિ-પત્ની વચ્ચે તકરાર અને વિવાદ થઈ જતી હોય છે. આ વિવાદ એક મોટું સ્વરૂપ લઈ લે છે, ઘણીવાર પતિ-પત્નીનો ઝઘડો ડિવોર્સમાં પણ પરિણમે છે. ટેરો કાર્ડ રીડર તેમજ ક્રિસ્ટલ થેરાપિસ્ટ સિદ્ધિ બરોલેએ અમુક ઉપાયો સુચવ્યા છે. આ ઉપાયો અપનાવશો, તો પતિ-પત્નીના પ્રેમમાં વધારો થશે અને ઝઘડાનો અંત થશે.

આજના સમયમાં પતિ-પત્ની વચ્ચે વિવાદ થવાના કિસ્સાઓમાં વધારો થયો છે. પતિ-પત્નીનો સંબંધ 7 જન્મનો સંબંધ ગણવામાં આવે છે, ઘણીવાર આવા વિવાદના કારણે 7 જન્મનો સંબંધ તૂટી જતો થાય છે. વાત છેક ડીવોર્સ સુધી પહોંચી જાય છે. જો તમારા ઘરે પણ આવા વિવાદ થઈ રહ્યા છે, તો આ સમાચાર આપના માટે ખૂબ જ કામના છે. બુરહાનપુરના ક્રિસ્ટલ થેરાપિસ્ટ અને ટેરોકાર્ડ રીડરે આ વિવાદને અંત કરવા માટે કેટલાંક ઉપાયો સૂચવ્યા છે. જો આ ઉપાયો અપનાવશો, તો પતિ-પત્ની વચ્ચેનો વિવાદ દૂર થાય છે અને બંનેમાં પ્રેમની લાગણી વધવા લાગે છે.

કરો આ ઉપાય

ટેરો કાર્ડ રીડર તેમજ ક્રિસ્ટલ થેરાપિસ્ટ સિદ્ધિ બરોલેનું કહેવું છે કે, જો પતિ-પત્ની વચ્ચે ઘણીવાર વિવાદ થાય છે, તો આ વિવાદોથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાયો કરી શકો છો. ઉપાય માટે તમારે પહેલા કાચનો બાઉલ લેવો પડશે. તેમાં રોક સોલ્ટના બે ટુકડા મૂકો અને તે બાઉલને તમારા બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણા પર મૂકી. તમારે આ બાઉલ આ દિશામાં 10 દિવસ સુધી રાખવું પડશે.

આ વાતનું ખાસ રાખો ધ્યાન

આ ઉપાય કરતી વખતે તમારે આ વાતો ખાસ ધ્યાનમાં રાખવી પડશે. 11માં દિવસે તમારા બેડરૂમના  બાઉલમાં રાખેલા રોકસોલ્ટના બંને ટુકડાને બાથરૂમમાં નાખી દેવાના રહેશે. આ પછી, બાઉલને સાફ કરવું અને તેમા રોકસોલ્ટના બીજા 2 ટુકડા નાંખી 51 દિવસ સુધી રાખો. આમ કરવાથી ફાયદો થશે. પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધશે અને વિવાદોનો અંત થશે, આથી આ ઉપાય અવશ્ય અપનાવવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *